મોટા અંગીયા ગામે "ગંદકી મુક્ત ભારત અભિયાન" ની ઉજવણી ના ભાગરૂપે વૃક્ષારોપણ, ગામમાં સામુહિક શેરી
સફાઈ, પ્લાસ્ટિક ના ઉપયોગ ને અટકાવવા કાપડની બેગ તેમજ કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માસ્ક અને
સેનેટાઇઝર નું વિતરણ કરવામાં આવ્યું,
આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા કેન્દ્ર સરકારની "ગંદકી મુક્ત ભારત અભિયાન" વિશે માર્ગદર્શન આપ્યું હતું
અને ગામ દ્વારા વધુને વધુ વૃક્ષોનો ઉછેર કરી વિસ્તારને હરિયાળો બનાવવા સંકલ્પ લેવડાવ્યા હતા.
ગામના સરપંચ ઇકબાલ ઘાંચી દ્વારા જાગીર શાખાની જર્જરિત મિલ્કતો, મંદિરોનું નવીનીકરણ અને પ્રવાસન કેન્દ્ર
વિકસાવવાની રજુઆત કરવામાં આવી.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ, તાલુકા
ભાજપના પ્રમુખ દિલીપભાઈ, શામજીભાઈ, મંગળાબેન ગામના ગ્રામ પંચાયતના કલાભાઈ રબારી, ખીમજીભાઈ,
હારૂનભાઇ, નીતાબેન, ભારતીબેન, તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા







0 Comments